ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી: લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલન, મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કરી સહીદોને શ્રદ્નાલી અર્પણ કરાઈ


SHARE













મોરબી: લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલન, મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કરી સહીદોને શ્રદ્નાલી અર્પણ કરાઈ

દેવ વેટલેન્ડ સોશીયલ વેલફેર ફાઊંડેશન અને દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા લભોઆ સ્ટ્રેટમાં તાજેતરમાં લભોઆ રાજ પરિવાર દ્વારા જાદોન-રાજપૂત મહાસંમેલનું આયોજન લભોઆની હવેલીમાં કરાયું હતું જેમાં દેશના પૂર્વ મહારાજના વંશજો, રજાઓ અને રાણીઓ મહાસંમેલનમાં આવ્યા હતા આ મહાસંમેલનના મુખ્ય અતિથી દ્વારકા શારદાપીઠ જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના સાનિધ્ધમાં કરોલી સ્ટ્રેટ રાજસ્થાનના મહારાજા કૃષ્ણપલ સિંહજી અને શ્રીમતી રાની સાહિબાએ સમાજ કલ્યાણ નિમિતે પૂજ્ય સતી માં મથુરા દેવીની પુણ્ય સ્મૃતિમાં મોબાઈલ કલીનીક અને અન્નક્ષેત્રનું લોકાઅર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમના આયોજક રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલાએ લભોઆ રાજ પરિવારની સાથે જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું તથા અયોધ્રામાં સ્વામી બાલશુક બાલમુકુન્દનું સ્વાગત સન્માન કર્યું હતું. તે સાથે જ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલાએ સતી માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દિવસે આઝાદીના પ્રથમ યુદ્ધ ૧૮૫૭ માં શહીદ થયેલ ક્રાંતિકારી વીરોને પુષ્પ ચક્ર ભેટ કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી. તેમજ લાભોવા રાજકુમાર દેવેન્દ્રસિંહ ઝાલા, રાજા પ્રતાપસિંહ, રાણા નિર્મળસિંહ, કુંવર ધીરેન્દ્રસિંહ ઝાલા અને લાભોવા રાજ પરિવારએ પ્રવાસ અને સંસ્કૃતિક મંત્રી ડો. જયવીરસિંહ ઝાલા, મહારાજા રીધીરાજસિંહ (દાંતા સ્ટ્રેટ), રાજા રાકેશસિંહ (શીવગઢ સ્ટ્રેટ), રાજા કૃષ્ણાકુમારસિંહ (ચુડા સ્ટ્રેટ), કુંવર જીતેન્દ્રસિંહ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, રાજા અને દમનસિંહ (ભદાવર સ્ટ્રેટ), યુવરાજ વિશ્વપાલસિંહ (કરોલી) કિશોરસિંહ (દિલ્હી)નું પુષ્પગુછ અને પ્રતિક ચિન્હ સાથે સ્વાગત સન્માન કરાયું હતું. ત્યાર બાદ દ્વારકા શારદાપીઠ જગદગુરુ શક્રાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું પ્રવચન યોજાયું હતું આ કાર્યક્રમના અંતમાં તમામ લોકોએ સાથે પ્રસાદ લીધો હતો. અને આ કાર્યક્રમ જોવા માટે આવેલા શાળાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.






Latest News