મોરબી કે મિરજાપુર..? : મોરબીમાં ગતરાત્રીના વધુ એક લોથ ઢળી, રબારી યુવાનનું મર્ડર
Morbi Today
મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
SHARE
મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
મોરબી જીલ્લાના વાંકાનેર ગામના મારામારીના કજીયાના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, વિશાલ રમેશભાઇ પીપળીયા, નહેરૂભાઈ નરશીભાઈ અને સંજયભાઈ સારલા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ની કલમ અન્વયે ફરીયાદ દાખલ થયેલ હતી.આ કામના આરોપીએ મોરબીના વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ. ગરચર,સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાટીયા મારફત મોરબીની મહે.એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હોય વકીલ કાનજી એમ.ગરચરની દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ તા.૧૮-૧૧ ના રોજના આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના જાણીતા અને સીનીયર એચ.એમ.ભૌણીયા, કાનજી એમ.ગરચર, સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાઠીયા રોકાયેલ હતા.









