ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ


SHARE













માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકા જેટલો વધારો કરેલ છે જેથી કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને તેનો માર પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે જેથી કરીને માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલીક ધોરણે ભાવવધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવેલ છે.

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કલારિયા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રી હર્ષકુમાર સંઘવીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તાજેતરમાં એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. જોકે, મોરબી જીલ્લામાં હાલમાં ડ્રાઈવર તથા કન્ડકટરોની ઘટ છે. અનેક રૂટો પણ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરો જે તે સ્થળે સમયસર પહોંચી શકતા નથી અને ભારે હાલાકી ભોગવી રહેલ છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકેલ છે. અનેક ઉદ્યોગો પડી ભાંગવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને રોજીરોટી મેળવવી પણ મુશ્કેલ બની ગયેલ છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ૧૦ ટકા જેટલો ભાડામાં વધારો કરવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો "પડયા પર પાટુ" મારવામાં આવી રહ્યું હોય તેવું અનુભવી રહ્યું છે ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News