મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ


SHARE











માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે એસટીના ભાડામાં કરાયેલ વધારો પાછો ખેંચવા કરી મંત્રી સમક્ષ માંગ

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકા જેટલો વધારો કરેલ છે જેથી કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને તેનો માર પડે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે જેથી કરીને માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલીક ધોરણે ભાવવધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવેલ છે.

માળીયા(મિ) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કલારિયા વાહનવ્યવહાર નિગમના કેબિનેટ મંત્રી હર્ષકુમાર સંઘવીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તાજેતરમાં એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે. જોકે, મોરબી જીલ્લામાં હાલમાં ડ્રાઈવર તથા કન્ડકટરોની ઘટ છે. અનેક રૂટો પણ બંધ કરવામાં આવેલ છે. જેના કારણે વિદ્યાર્થીઓ તથા મુસાફરો જે તે સ્થળે સમયસર પહોંચી શકતા નથી અને ભારે હાલાકી ભોગવી રહેલ છે. હાલમાં મોંઘવારીએ માઝા મુકેલ છે. અનેક ઉદ્યોગો પડી ભાંગવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને રોજીરોટી મેળવવી પણ મુશ્કેલ બની ગયેલ છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ૧૦ ટકા જેટલો ભાડામાં વધારો કરવાના કારણે ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો "પડયા પર પાટુ" મારવામાં આવી રહ્યું હોય તેવું અનુભવી રહ્યું છે ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News