મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતી મહિલાને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી જેથી હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે જોનાબેન રતિલાલ મુછડીયા (30)એ હાલમાં તેના પતિ રતિલાલ નથુભાઈ મુછડીયા, સાસુ સોમબેન નથુભાઈ મુછડીયા, નણંદ વિજુબેન નથુભાઈ મુછડીયા અને જેઠાણી રંજનબેન હરિભાઈ મુછડીયા રહે. બધા કૃષ્ણનગર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી આમ શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હોવાથી હાલમાં મહિલાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News