મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતી મહિલાને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી જેથી હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે જોનાબેન રતિલાલ મુછડીયા (30)એ હાલમાં તેના પતિ રતિલાલ નથુભાઈ મુછડીયા, સાસુ સોમબેન નથુભાઈ મુછડીયા, નણંદ વિજુબેન નથુભાઈ મુછડીયા અને જેઠાણી રંજનબેન હરિભાઈ મુછડીયા રહે. બધા કૃષ્ણનગર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી આમ શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હોવાથી હાલમાં મહિલાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News