મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબી : બેન્કો તથા ફાયનાન્સ કંપનીઓ સરકારની મકાન સબસીડીની યોજના સફળ બનાવવા પ્રયત્ન કરતી નથી-ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











મોરબી : બેન્કો તથા ફાયનાન્સ કંપનીઓ સરકારની મકાન સબસીડીની યોજના સફળ બનાવવા પ્રયત્ન કરતી નથી-ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા આરબીઆઈના ગવર્નરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, કોઈપણ બેંકો કે ફાઇનાન્સ કંપનીઓ સરકાર દ્વારા જે મકાન માટેની સબસીડી માટે યોજના જાહેર કરવામાં આવી છે તે સફળ બને તેવા પ્રયત્નો નિષિઠાપુર્વક કરતી નથી જેના લીધે છેવાળાના માનવીને સરકારના મળવા જોઈતા લાભ મળતા નથી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવે છે.કોઈપણ વ્યકિત મકાન ખરીદ કરે તો રૂા.૨,૬૭,૦૦૦ ની સબસીડી આપે છે અને મકાન લેનાર ઘરધણીની સબસીડીની તમામ કાર્યવાહી જે બેન્કમાંથી લોન લીધેલ હોય અગર કોઈપણ સહકારી કે ખાનગી બેન્કમાંથી લોન લીધી હોય તે સંસ્થા કે બેન્કે કરવાની હોય છે.જાણવા મળ્યા પ્રમાણે બે થી ત્રણ વર્ષ થઈ જાય છતાં સબસીડી માટે કોઈ કાર્યવાહી લોન આપનાર સંસ્થા કે બેન્ક તરફથી કરવામાં આવતી નથી અને મકાન ધારકને ધકકા ખવડાવે છે.મીઠીમીઠી વાતો કરેછે અને જણાવે છે કે સબસીડીની કાર્યવાહી ચાલુ છે. પરંતુ જયારે મકાન માલિક/ગ્રાહક તપાસ કરે છે.ત્યારે ખબર પડે છે કે લોન આપનાર જે તે સંસ્થા/બેન્કે ગ્રાહકની સબસીડી બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી ! અને પરિણામ સ્વરૂપે ગ્રાહકને ના છુટકે ગ્રાહક અદાલતમાં જવાની ફરજ પડે છે.તો આવી બેન્ક કે ફાઈનાન્શ્યલ કંપનીની ગ્રાહકની સેવામાં ખામી હોવાનું જણાઇ આવે છે અને આવી સંસ્થા કે બેન્કો સામે પગલા ભરવા જોઈએ જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સબસીડીની યોજના સફળ થાય અને મકાન લોન ધારકને પણ સબસીડી મળી રહે.






Latest News