મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધન વિષય પર ગોષ્ઠી યોજાઇ


SHARE













મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધન વિષય પર ગોષ્ઠી યોજાઇ

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધનવિષય પર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સંઘચાલકજી ડો. સંજીવભાઈ ઓઝા તેમજ આ કાર્યક્રમમા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, દિલુભા જાડેજા (જયદિપ એન્ડ કંપની) અને આરએસએસના મોરબી જીલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, વિનોદભાઈ સનારિયા, જસ્મીનભાઈ હિંસુ સહિતના હાજર રહ્યા હતા આ તકે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા (3P) people,Place, Problem ની વાત તેમજ ઈન્ટરનલ સિકયુરિટી અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપેલ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુણસાગર દાસજી સ્વામિ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અને મુખ્ય વક્તા સંજીવભાઈ ઓઝા દ્વારા સીમા જાગરણ મંચના કાર્યો તથા રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરીક તરીકેના કર્તવ્યો અંગે વિસ્તૃત વાત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા, સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા યુવા આયામ પ્રમુખ અને આ કાર્યક્રમના સહસંયોજક આર્યનભાઈ ત્રિવેદી, સીમા જાગરણ મંચ મોરબી નગરના મહામંત્રી બીપીનભાઈ અઘારા, મોરબી નગરના મંત્રી હિરેનભાઈ સીણોજીયા, મોરબી જિલ્લા સદસ્ય મિલનભાઈ વ્યાસ અને કિશનભાઈ ગોગરાએ ખુબ જહેમત ઉઠાવી હતી.




Latest News