મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

ટંકારાના ટોળ ગામે લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન ઉપર છૂટવા  સરકારી જમીન ઉપરનું દબાણ જાતે દૂર કર્યુ


SHARE













ટંકારાના ટોળ ગામે લેન્ડગ્રેબિંગના ગુનામાં જામીન ઉપર છૂટવા  સરકારી જમીન ઉપરનું દબાણ જાતે દૂર કર્યુ

ટંકારાના ટોળ ગામે જાહેર રસ્તાની સરકારી જમીન ઉપર મકાન ખડકી દેવાની સાથે સાથે કૂવો પણ ખોદી નાખવામાં આવતા ટંકારા મામલતદારે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી અને આ કેસમાં જેલ હવાલે થયેલા આરોપીએ જામીન ઉપર છૂટવા અરજી કરતા કોર્ટે સરકારી જમીન ઉપર કરેલું દબાણ જાતે દૂર કરવા આદેશ કર્યો હતો જેથી કરીને દબાણકર્તાઓને પરિવારજનો દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે

ટંકારાના ટોળ ગામે જૂનો રસ્તો છેલ્લા દસ વર્ષથી કબ્જે કરી લઈ માર્ગ ઉપર મકાન બનાવી કૂવો બનાવી નાખવામાં આવતા ટંકારા મામલતદાર નરેન્દ્ર શુક્લ દ્વારા ટોળ ગામે રહેતા આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેથી ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓને કોર્ટમાં હાજર કરતા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો ત્યાર બાદમાં આરોપીએ જામીન પર મુક્ત થવા( સ્પેશ્યલ લેન્ડગ્રેબીંગ કોટ) એડિશનલ સેશન્સ કોર્ટમાં અરજી કરતા કોર્ટે ભુ-માફિયામા ફફડાટ ફેલાય એવો હુકમ કરી કડક સુચના આપી હતી કે આરોપી જાતે દબાણ વાળી જમીન ખુલ્લી કરે અને કબજો સોપી આપે અને આ અંગેનો રીપોર્ટ ૨૦ નવેમ્બરે કોર્ટ સમક્ષ રજુ કરવા જણાવ્યું હતું. બીજી તરફ કોર્ટેના આદેશનો અમલ કરવા આરોપીના પરીવારજનો દ્વારા જમીન ઉપર ખડકલા કરેલ મકાન સહિતની જગ્યા ખાલી કરી ખુલ્લો પટ કરી નાખ્યો હતો અને ટંકારા મામલતદારને કબ્જો પણ સોપી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા દબાણો કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવા કાયદો અમલમાં આવ્યો છે ત્યારે નામદાર કોર્ટે પણ ભુ-માફિયાઓને જામીન માટે કડક વલણ અપનાવતા ટંકારા તાલુકા મથકમાં અને જીલ્લા આખામાં આ મુદ્દે ભારે ચર્ચા સાથે કાયદાનો ભય ઉભો થયો છે. જેથી આગામી દિવસોમાં ભુમાફિયાઓ ભો-ભિતર થઈ જવાના છે એમા શંકાને કોઈ સ્થાન નથી.






Latest News