ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ


SHARE













મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ

મોરબીમાં થોડા દિવસો પહેલા પંચાસર રોડ ઉપર રબારી યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જો કે, મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પઠાવવામાં આવ્યું છે અને આરોપીની સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, તા.૨૨-૧૧ ના રોજ નવઘણભાઈ હરેશભાઈ અજાણા જાતે રબારી રહે. ભગવતીપરા પોતાનું કામકાજ પતાવી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં સામાન્ય બાબતે તેની છરી મારી હત્યા કરવામાં આવેલ હતી અને નવઘણભાઈની હત્યા કરનાર આરોપી હિસ્ટ્રીશિટર હોય તેની સામે મોરબી જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી શરીર સબંધીત ગુનાઓ કરવાની ટેવ વાળો છે જેથી કરીને આરોપી સામે ગુજસીટોક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ કરવામાં આવેલ છે

વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મરનાર નવઘણભાઈ પોતાના પરિવારમાં ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યકિત હતા. અને નવઘણભાઈના પિતા પણ હયાત નથી. નવઘણભાઈ તેના દાદા સાથે રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને નવઘણભાઈના પરિવારને આવનારા સમયમાં ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવો પ્રબંધ કરવા પણ માંગણી કરાયેલ છે અને કાયદાની છટકબારીનો લાભ લઈને આરોપી છૂટી ન જાય તે રીતે ન્યાયીક રીતે ચાર્જ ફેમ કરવા માંગ કરાયેલ છે. આ કેસના ફરીયાદી તેમજ સાહેદોને પોલીસ રક્ષણ પણ મળે તેવી પણ કલેકટર એને એસપીને લેખીત રજૂઆત કરાયેલ છે.






Latest News