મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે   ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ ભારે કરી: મોરબી જીલ્લામાં ખાનગી શાળાની માન્યતા ચેક કર્યા પછી સંતાનોને એડમિશન અપાવના જિલ્લા શિક્ષણાધિકારીનો વાલીઓને અનુરોધ ! ​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ


SHARE











માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકાનાં અણીયારી ગામે માતાજીના મંદિરે થાનના લોકો પરીવાર સાથે બોલેરો ગાડીમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેઓ દર્શન કરીને પરત થાન જતા હતા ત્યારે અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલટી જતાં ગાડીમાં બેઠેલા 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક દંપતીના જમાઈએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા-હળવદ હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પલટી મારી ગયેલ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા કુલ 22 જેટલા લોકોમાંથી 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા (22) રહે. રામપરા તાલુકો ધાંગધ્રા વાળાએ બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 8779 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

આ બનાવમાં વિપુલ બાબુભાઈ, જયશ્રીબેન બેચરભાઈ, બેચરભાઈ જયંતીભાઈ, જયંતીભાઈ ભીખાભાઈ, ક્રિયાંશ ઓધવજીભાઈ, નેહા વિપુલભાઈ, વર્ષાબેન વિપુલભાઈ, બળદેવભાઈ રાણાભાઇ, સોનલબેન ઓધવજીભાઈ બાબરીયા, ઓધવજી મુળાભાઈ, મુળાભાઈ વશરામભાઈ બાવળીયા, ભીખાભાઈ બીજલભાઇ ડેડાણીયા અને લધુ વશરામને ઇજાઓ થયેલ હતી. જો કે, ફરિયાદીના સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા (50) અને સાસુ લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા (50) રહે. બંને થાન વાળને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું

ઉલેખનીય છે કે, થાન વિસ્તારમાંથી ફરિયાદી સહિતના લોકો બોલેરો ગાડીમાં અણીયારી ગામે માતાજી મંદિરે દર્શન માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો અને ઇજા પામેલા લોકોને 108 મારફતે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, આ બનાવ  સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News