મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ


SHARE













મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિંસા ફાટી નિકળી છે જેથિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ અંગે આજે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યુ  તેમા જણાવ્યુ છે કે, સંસદમાં વકફ કાયદો પસાર થયા બાદ તેના વિરોધની આડમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નિકળી છે. અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાઈ રહી છે. અને સ્થાનિક સરકાર આવાતત્વોને છૂટ આપી રહી છે. માટે હિંસા ફેલાવનારા  તત્વોને કડક સજા કરવામાં આવે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરેલ છએે અને જે હિંસા કરવામાં આવી છે તેની તપાસ એનઆઇએ દ્વારા કરાવવી જોઈએ તેવી માંગ કરેલ છે.




Latest News