માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે હાઇપરટેંશન, ડાયાબીટીસ જેવા રોગોનુ નિદાન-સારવાર વિનામુલ્યે


SHARE

















મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે હાઇપરટેંશન, ડાયાબીટીસ જેવા રોગોનુ નિદાન-સારવાર વિનામુલ્યે

મોરબી શહેરના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દર શુક્રવારે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી એન.સી.ડી. (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ) દિવસની ઉજવણી કરવામા આવશે જેમા હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરે રોગોનુ નિદાન તેમજ સારવાર વિનામુલ્યે કરી આપવામા આવશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામા આવે છે.

હાલના સમયમા બિનચેપી રોગો જેમ કે હાઇપરટેંશન, ડાયાબીટીસ વગેરેનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના દરેક વ્યક્તિઓએ વર્ષમા એકવાર નોન કોમ્યુનિકેબલ ડીસીઝ માટે તપાસ અવશ્ય કરાવવી જોઇએ જે માટે આપની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.મોરબીમાં આરોગ્ય કેન્દ્રનુ જોઈએ તો અર્બન પ્રા.આ.કે. ગોકુલનગર ગોકુલનગર, શનાળા બાયપાસ પાસે, અર્બન પ્રા.આ. વીસીપરા ફુલછાબ કોલોની, વીસીપરા, અર્બન પ્રા.આ.કે. લીલાપર રોડ પરષોતમ ચોક, રવાપર રોડ, અર્બન પ્રા.આ.કે. સો ઓરડી જીલ્લા પંચાયત સામે, સો ઓરડી, અર્બન પ્રા.આ.કે. વાવડી રોડ આશાપુરા પાર્ક, વાવડી રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર આવસ યોજના દલવાડી સર્કલ પાસે, આયુષ્માન આરોગ્ય મંદિર રોહીદાસપરા રોહીદાસપરા, વીસીપરા, આયુષ્માન આરોગ્ય મંદિર બોરીયાપાટી બોરીયાપાટી, કેનાલ રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર ગૌશાળા ગૌશાળા સામે, લીલાપર રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર વિદ્યુતનગર વિદ્યુતનગર, મોરબી-૨, આયુષ્માન આરોગ્ય મંદિર શક્તિ સોસાયટી શક્તિ સોસાયટી, મોરબી-૨, આયુષ્માન આરોગ્ય મંદિર રાજનગર રાજનગર, પંચાસર રોડ, આયુષ્માન આરોગ્ય મંદિર કુબેરનગર કુબેરનગર, વાવડી રોડ ખાતે લાભ લઈ શકાસે તેમ આરોગ્ય અધિકારી મોરબી મહાનગરપાલિકાએ યાદીમાં જણાવેલ છે.




Latest News