બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર ડીઝલ ચોરીનો પર્દાફાશ: માળીયા (મી)ના સોનગઢ ગામે ટેન્કરમાંથી કાઢવામાં આવેલ 1800 લિટર ડીઝલ સાથે બે પકડાયા, 47.14 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો


SHARE



























મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન  યોજના અંતર્ગત શહેરી ઘર વિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૧૭ એપ્રિલના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખાના સહયોગથી જનરલ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને તપાસી જરૂરી દવાઓ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર દર ૧૫ દિવસે આશ્રયગૃહના આશ્રિતો માટે આરોગ્ય ચકાસણી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેછે આ કેમ્પમાં કુલ ૪૩ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા આરોગ્ય વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.












Latest News