ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા


SHARE













મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા

મોરબીના નાનીવાવડી ગામે આવેલ મંદિરની પાછળના ભાગમાં તળાવ કાંઠેથી યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવી છે જે યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા છે જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી લાવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે તેના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32)ની મૃત હાલતમાં લાશ પડેલ છે જેથી કરીને તાલુકા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.ડી. જોગેલા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે મૃતક યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા હોવાથી ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના કૂલીનગરમાં રહેતો નવાજ રમજાન ખોખર (4) નામનો બાળક તેના મામા સાથે વીસી ફાટક બાજુ જવાના સ્મશાન રોડ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News