જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર છવાયો આનંદ: મોરબીના ભોરણીયા પરિવારની સેવાકીય પહેલ મોરબી વાવડી ચોકડીથી પંચાસર રોડ વચ્ચે એક મહિનાથી બોલેરો કાર બની જોખમ, તંત્રની બેદરકારી સામે સવાલ હળવદના કડીયાણા ગામે ગોચરની જમીનમાંથી થતી ગેરકાયદે ખનીજ ચોરી રોકવા સરપંચ-તલાટિએ કરી ટીડીઓ-મામલતદારને રજૂઆત  હળવદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણનું આયોજન મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પદે રાજેશકુમાર જોશીની સર્વાનુમતે વરણી મોરબી જિલ્લાના રાણેકપર ગામના ખેડૂતોને એમઆરસી કમિટીમાં ભાવ નક્કી થયા બાદ વીજપોલ-કોરિડોર સામે વળતરમાં તોતિંગ વધારો મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી
Breaking news
Morbi Today

મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર


SHARE





મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર હોલ ખાતે આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી હરિયાણાના અંજલીબેન આર્ય દ્વારા મહિલાઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે ખાસ કરીને મહિલાઓને અશ્લીલતાનો હિસ્સો ન બનવા અને ઝાંસીની રાણી જેવા ઐતિહાસિક પાત્રોમાંથી બોધપાઠ લેવાની ટકોર કરી હતી તેમજ મહિલાઓએ સંસ્કાર, સમાજ અને દેશના નિર્માણમાં પોતે યોગદાન આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં જાણતા રાજા શિવાજી મહારાજના જીવન ઉપરના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે દરમિયાન આજે મોરબીના રવાપર રોડે આવેલ આર્ટ ઓફ લિવિંગના સેન્ટર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલિબેન આર્ય દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ તકે તેઓએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો આધાર છે ત્યારે મહિલાઓએ ગુણવત્તા, દેશભક્તિ, નિર્માણ કાર્ય, સંસ્કાર અને સમાજ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને મહિલાઓએ અશ્લીલતાનો હિસ્સો ન બનીને ઝાંસીની રાણી સહિતના જે આપણા ઐતિહાસિક પાત્રો છે તેમાંથી બોધપાઠ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવું જોઈએ. આ કાર્યક્રમની અંદર આવેલા બહેનોએ પણ કાર્યક્રમ બાદ કહ્યું હતું કે અંજલિબેન આર્ય દ્વારા જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આગામી સમયમાં તે લોકોને જીવન ઉપયોગી થશે અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મહિલાઓમાં જે પુરૂષ સમો વડી થવાની હોડ લાગી છે તેમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ રસ્તો ભૂલી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સીતામાતા, ઝાંસીની રાણી વગેરે જેવા ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોમાંથી પ્રેરણા લઈને મહિલાઓ આગળ વધે તે અનિવાર્ય છે.




Latest News