મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર


SHARE













મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર હોલ ખાતે આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી હરિયાણાના અંજલીબેન આર્ય દ્વારા મહિલાઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે ખાસ કરીને મહિલાઓને અશ્લીલતાનો હિસ્સો ન બનવા અને ઝાંસીની રાણી જેવા ઐતિહાસિક પાત્રોમાંથી બોધપાઠ લેવાની ટકોર કરી હતી તેમજ મહિલાઓએ સંસ્કાર, સમાજ અને દેશના નિર્માણમાં પોતે યોગદાન આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં જાણતા રાજા શિવાજી મહારાજના જીવન ઉપરના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે દરમિયાન આજે મોરબીના રવાપર રોડે આવેલ આર્ટ ઓફ લિવિંગના સેન્ટર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલિબેન આર્ય દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ તકે તેઓએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો આધાર છે ત્યારે મહિલાઓએ ગુણવત્તા, દેશભક્તિ, નિર્માણ કાર્ય, સંસ્કાર અને સમાજ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને મહિલાઓએ અશ્લીલતાનો હિસ્સો ન બનીને ઝાંસીની રાણી સહિતના જે આપણા ઐતિહાસિક પાત્રો છે તેમાંથી બોધપાઠ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવું જોઈએ. આ કાર્યક્રમની અંદર આવેલા બહેનોએ પણ કાર્યક્રમ બાદ કહ્યું હતું કે અંજલિબેન આર્ય દ્વારા જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આગામી સમયમાં તે લોકોને જીવન ઉપયોગી થશે અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મહિલાઓમાં જે પુરૂષ સમો વડી થવાની હોડ લાગી છે તેમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ રસ્તો ભૂલી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સીતામાતા, ઝાંસીની રાણી વગેરે જેવા ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોમાંથી પ્રેરણા લઈને મહિલાઓ આગળ વધે તે અનિવાર્ય છે.






Latest News