મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર


SHARE











મહિલાઓ અશ્લીલતાનો હિસ્સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોજદાન આપે: મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સાધના કોમ્પ્લેક્સમાં આર્ટ ઓફ લિવિંગ સેન્ટર હોલ ખાતે આજે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી હરિયાણાના અંજલીબેન આર્ય દ્વારા મહિલાઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે ખાસ કરીને મહિલાઓને અશ્લીલતાનો હિસ્સો ન બનવા અને ઝાંસીની રાણી જેવા ઐતિહાસિક પાત્રોમાંથી બોધપાઠ લેવાની ટકોર કરી હતી તેમજ મહિલાઓએ સંસ્કાર, સમાજ અને દેશના નિર્માણમાં પોતે યોગદાન આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં જાણતા રાજા શિવાજી મહારાજના જીવન ઉપરના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે દરમિયાન આજે મોરબીના રવાપર રોડે આવેલ આર્ટ ઓફ લિવિંગના સેન્ટર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલિબેન આર્ય દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

આ તકે તેઓએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો આધાર છે ત્યારે મહિલાઓએ ગુણવત્તા, દેશભક્તિ, નિર્માણ કાર્ય, સંસ્કાર અને સમાજ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને મહિલાઓએ અશ્લીલતાનો હિસ્સો ન બનીને ઝાંસીની રાણી સહિતના જે આપણા ઐતિહાસિક પાત્રો છે તેમાંથી બોધપાઠ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવું જોઈએ. આ કાર્યક્રમની અંદર આવેલા બહેનોએ પણ કાર્યક્રમ બાદ કહ્યું હતું કે અંજલિબેન આર્ય દ્વારા જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે આગામી સમયમાં તે લોકોને જીવન ઉપયોગી થશે અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મહિલાઓમાં જે પુરૂષ સમો વડી થવાની હોડ લાગી છે તેમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ રસ્તો ભૂલી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સીતામાતા, ઝાંસીની રાણી વગેરે જેવા ભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોમાંથી પ્રેરણા લઈને મહિલાઓ આગળ વધે તે અનિવાર્ય છે.






Latest News