વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ


SHARE











મોરબીના ડોકટર પુત્ર ડો.ચિરાગ અઘારા બન્યા યુરોલોજીસ્ટ

મોરબી, સરસ્વતી શિશુ મંદિર શક્ત શનાળાના પ્રમુખ અને વિદ્યા ભારતી પશ્ચિમ ક્ષેત્રના ઉપાધ્યક્ષ અને ચિરાગ સર્જીકલ હોસ્પિટલ વાળા ડો.બાબુલાલ અધારાના પુત્ર ડૉ. ચિરાગ બાબુલાલ અઘારા એસ. એન.મેડિકલ કોલેજ, જોધપુર રાજસ્થાન ખાતે લેવાયેલ એમસીએચ (યુરોલોજી) પરીક્ષામા ઉત્તીર્ણ થયેલ છે.ડો.ચિરાગ સરસ્વતી શિશુમંદિર , ભચાઉ અને મોરબીના પૂર્વ વિદ્યાર્થી છે.વિદ્યાર્થીઓના પ્રારંભિક અભ્યાસ અને ઘડતરમાં બાલ્યાવસ્થામાં તેમજ પાયાના પ્રાથમિક શિક્ષણનું ખૂબ જ મહત્વ હોય છે.ત્યારે ડો.ચિરાગ અધારાના જીવનમાં સરસ્વતી શિશુમંદિરનો મહત્વનો ફાળો હોય શિશુ મંદિર તથા વિદ્યાભારતી પરિવારનો અધારા પરિવાર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.તેમજ આજે ઘણા બધા લોકોને પથરી અને કિડનીના રોગોથી ગ્રસ્ત હોય છે ત્યારે એક સારા માનવતાવાદિ અને હોંશિયાર યુરોલોજીસ્ટ ડોક્ટરનો મોરબી પંથકમાં લાભ પ્રાપ્ત થવાનો હોય ડો.ચિરાગ અધારાને એમના મિત્રવર્તુળ,સગા સ્નેહીઓ સબંધીઓ નગરજનો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.






Latest News