લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે


SHARE

















જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે

જમ્મુના પહલગામમાં આંતકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલાનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વાંકાનેરના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા માર્કેટ ચોકમાં રોડ પર પાકિસ્તાનનો ઝડાં બનાવવામાં આવેલ છે અને આંતકવાદીઓને પનાહ આપનારા પાકિસ્તાનના ઝંડાને લોકો પગ નીચે કચડે તે માટે રસ્તા ઉપર ઝંડો બનાવવામાં આવેલ છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ફરવા ગયેલ પર્યટકો ઉપર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જેના વિરોધમાં સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી આંતકવાદને પનાહ આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની માંગ ઉઠી રહી છે ત્યારે વાંકાનેરમાં રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા શહેરના માર્કેટચોકમાં જાહેર રોડ પર જ્યાં દિવસ દરમિયાન અનેક વાહનો તેમજ લોકો પગપાળા ચાલીને જતાં હોય છે ત્યારે પાકિસ્તાનનો ઝંડો બનાવવામાં આવેલ છે અને લોકો પાકિસ્તાનના ઝંડાને પગ નીચે કચડે તે માટે રોડ ઉપર આ ઝંડો બનાવવામાં આવેલ છે અને ત્યાં પાકિસ્તાન મૂર્દાબાદ લખવામાં આવેલ છે તેમજ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ દેવાની માંગ યુવાનો દ્વારા કરવામાં આવી છે આ તકે મહેશ પંડ્યા, મેહુલ ઠાકોર, શિવાજી રાજગોર, મયુર ઠાકોર, દિપક રાજગોર, હરેશ માણસુરીયા, હિરેન બરેડિયા, હિરેન પનારા, અજય પનારા સહિતના રાષ્ટ્રપ્રેમી યુવાનો હાજર રહ્યા હતા અને આંતકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો




Latest News