માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સીટી બસના સ્ટાફે મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો


SHARE

















મોરબી સીટી બસના સ્ટાફે મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પાલીકા દ્રારા સીટી બસ સેવા ચાલુ છે જે સીટી બસ સેવાનો લોકો લાભ લઇ રહ્યા છે જેમાં એક યુવાન મુસાફર તેનો કિમતી મોબાઈલ ભૂલી ગયો હતો જે મોબાઇલ સીટી બસના સ્ટાફને મળ્યો હતો.જેથી પાલીકાના સ્ટાફે મોબાઈલના મૂળ માલિકને શોધીને તેને બોલાવી મોબાઇલ પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતુ.નગરપાલિકાની સીટી બસમાં મુસાફરી સમયે એક મુસાફર તેનો મોબાઈલ ભૂલી ગયેલ હોય અને આશરે ૨૦ હજારની કિંમતનો મોબાઈલ હોય આ મોબાઇલ સીટી બસના સ્ટાફ પ્રભુભાઈને મળ્યો હતો અને પ્રલોભનમાં આવ્યા વિના પ્રભુભાઇએ તે મોબાઇલ પાલીકા સીટી બસ સંચાલનની ઓફિસમાં જમા કરાવ્યો હતો જેથી પાલીકાકર્મી અશોકભાઈ જોશીએ મોબાઈલના મૂળ માલિકને શોધીને ખરાઈ કર્યા બાદ મોબાઈલ તેમા મૂળ માલિકને પરત કર્યો હતો અને પોતાના વિભાગ એવા સીટી બસ સેવાના સ્ટાફની પ્રમાણિકતાને પણ બિરદાવી હતી.




Latest News