મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ


SHARE











મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના જોધપર નદી ડેમ પાસે આવેલ ફલોરા હોમ ખાતે જૂગાર અંગે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંગલામાં ચાલતા જુગારધામમાં જુગાર રમી રહેલા છ પતાપ્રેમીઓની રોકડ રૂા.૬.૦૭ લાખ જેવી માતબાર રકમ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ઓડેદરા તેમજ એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબીના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ હતી કે મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસના બંગલામાં કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ રહે.હાલ મોરબી અવની ચોકડી અવધ પેલેસ વાળો બહારથી માણસો બોલાવીને ગંજીપતા વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે અને રમાડે છે માટે ત્યાં રેડ કરવામાં આવતા રેડ દરમ્યાન સ્થળ ઉપરથી કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ, કલ્પેશભાઇ કાનજીભાઇ પટેલ, દિપેશભાઇ ઉર્ફે દિપક ઉર્ફે હોઠારો ગણેશભાઇ પટેલ, પ્રભુલાલ માવજીભાઇ પટેલ, જયંતીલાલ ગાંડુભાઇ પટેલ અને જીવરાજભાઇ મેઘજીભાઇ પટેલ રહે.બધા મોરબીવાળાઓ જુગાર રમતા મળી આવતા છએયની રોકડા રૂા.૬,૦૭,૫૦૦ સાથે પકડી પાડીને તેમની સામે જુગાર ધારાની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને છએયની ધરપકડ કરવામાં આવેલ છે.રેડની કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, રણવીરસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાએ કરી હતી.






Latest News