તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ


SHARE











મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના જોધપર નદી ડેમ પાસે આવેલ ફલોરા હોમ ખાતે જૂગાર અંગે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંગલામાં ચાલતા જુગારધામમાં જુગાર રમી રહેલા છ પતાપ્રેમીઓની રોકડ રૂા.૬.૦૭ લાખ જેવી માતબાર રકમ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ઓડેદરા તેમજ એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબીના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ હતી કે મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસના બંગલામાં કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ રહે.હાલ મોરબી અવની ચોકડી અવધ પેલેસ વાળો બહારથી માણસો બોલાવીને ગંજીપતા વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે અને રમાડે છે માટે ત્યાં રેડ કરવામાં આવતા રેડ દરમ્યાન સ્થળ ઉપરથી કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ, કલ્પેશભાઇ કાનજીભાઇ પટેલ, દિપેશભાઇ ઉર્ફે દિપક ઉર્ફે હોઠારો ગણેશભાઇ પટેલ, પ્રભુલાલ માવજીભાઇ પટેલ, જયંતીલાલ ગાંડુભાઇ પટેલ અને જીવરાજભાઇ મેઘજીભાઇ પટેલ રહે.બધા મોરબીવાળાઓ જુગાર રમતા મળી આવતા છએયની રોકડા રૂા.૬,૦૭,૫૦૦ સાથે પકડી પાડીને તેમની સામે જુગાર ધારાની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને છએયની ધરપકડ કરવામાં આવેલ છે.રેડની કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, રણવીરસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાએ કરી હતી.






Latest News