તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા લોકોન ચહેરા ઉપર સ્મિત લાવવા શરૂ કરાયું અભિયાન


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા લોકોન ચહેરા ઉપર સ્મિત લાવવા શરૂ કરાયું અભિયાન


વર્તમાન સમયમાં જન્મ દિનની ઉજવણી દરમ્યાન ખાદ્ય સામગ્રી લોકોના મોઢા ઉપર લગાડીને તેનો બગાડ કરવામાં આવે છે ત્યારે સમાજને નવો રાહ ચીંધવા માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા તેઓના જન્મદિવસની ઉજવણી બીજા લોકોના ચહેરા ઉપર સ્મિત લાવીને કરવામાં આવે હતી અને તેની સાથે જ તેઓએ વિશેષ સમાજ ઉપયોગી આ સેવાકીય અભિયાન શરુ કર્યું છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટનો જન્મદિવસ હતો ત્યારે જન્મદિનની સાચા અર્થમાં સાર્થક ઉજવણી કરવા માટે તેમના દ્વારા “ Let's Spread Smile – Be The Reason For Someone's Smile " નામથી એક વિશેષ સમાજ ઉપયોગી સેવાકીય અભિયાન કોલેજમાં શરુ કરવામાં આવ્યું છે આ અભિયાન શરુ કરવાનો મુખ્ય ઉદેશ યુવાનોમાં જન્મદિવસની પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કેક કાપીને ઉજવણી દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓની રેલમછેલ અને બગાડ કરવામાં આવે છે તેના બદલે આ રકમનો ઉપયોગ ગરીબ અને નિસહાય બાળકો અને લોકોને મદદરૂપ બનીને એમના સ્મિતનું કારણ બનવા માટે પ્રેરિત કરવાનો છે આ બાબતે યુવાનો જાગૃત થાય અને બીજાને પણ પ્રેરિત કરે અને સમાજને એક નવી રાહ ચીંધે અને સમાજસેવાની દિશામાં એક નવી કેડી કંડારે એવી ઉમદા ભાવના આ અભિયાન સાથે જોડાયેલી છે આ અભિયાન અંતર્ગત પી.જી. પટેલ કોલેજમાં દરેક વિધાર્થીઓના જન્મદિવસ નિમિતે તેમને કોલેજ તરફથી ઉપરોક્ત અભિયાનમાં જોડાવા માટે પ્રેરાય તે માટે એક વિશેષ જન્મદિવસ શુભેચ્છા કાર્ડ આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યુ છે.






Latest News