અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા પાસે યુદ્ધે ચડેલા ખુટીયાને બચાવવા જતાં આઇસર ચાલકે વૃદ્ધને હડફેટે લીધા


SHARE

















હળવદના નવા દેવળીયા પાસે યુદ્ધે ચડેલા ખુટીયાને બચાવવા જતાં આઇસર ચાલકે વૃદ્ધને હડફેટે લીધા

હળવદના નવા દેવળીયા ગામે પ્લોટ વિસ્તારમાંથી અજાણ્યો આઇસર ચાલક પોતાનું વાહન લઈને પસાર થતો હતો ત્યારે તેના વાહન આડે યુદ્ધે ચડેલા બે ખુટીયા આવ્યા હતા જેને બચાવવા જતા રોડ સાઈડમાં ચાલીને જતા વૃદ્ધને આઇસર ચાલકે હડફેટે લીધા હતા જેથી તેને ઇજા થવાથી સારવારમાં લઈ ગયા હતા અને ઇજાગ્રસ્તના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ખોડીયાર પાર્ક સોસાયટી શેરી નં-1 માં રહેતા ઘનશ્યામભાઈ કરસનભાઈ આઘારા (49)એ  અજાણ્યા આઇસર ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદના નવા પ્લોટ વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર પાસેથી તેઓના મોટાભાઈ જયંતિભાઈ કરસનભાઈ આઘારા (58) ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસર ચાલક પોતાનું વાહન લઇએ ત્યાંથી જઇ રહ્યો હતો અને તેના વાહનની આડે યુદ્ધે ચડેલા બે ખુટીયા આવ્યા હતા જેથી ખુટીયાને બચાવવા જતાં ફરિયાદીના મોટાભાઈને આઈસર ચાલકે હડફેટે લેતા તેઓને ડાબી બાજુના ખભામાં તથા છાતીના ભાગે ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને આઇસર ચાલક સ્થળ ઉપરથી વાહન લઈને નાસી ગયેલ હતો જેથી હાલમાં ભોગ બનેલ વૃદ્ધના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહનમાં નુકશાન

પડધરીના દહીસરડા ગામના રહેવાસી રજનીશભાઈ દામજીભાઈ કેરવાડીયા (37)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 12 બીએફ 5732 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારામાં લતીપર ચોકડીના ઓવરબ્રિજના છેડા પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે એચઆર 1073 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી તેઓની કારમાં પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી કારની જમણી બાજુના બંને દરવાજા બમ્પર ડાબી બાજુના ટાયર, દરવાજા અને પાછળના ટાયર અને રિંગ પ્લેટમાં નુકસાની કરી હતી અને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News