હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદસિંહ ઝાલાની સ્મૃતિમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


SHARE

















મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં કાલે સ્વ.ઉમેદસિંહ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવા માટે યુવાનો સહિતના લોકો દ્વારા રકતદાન કરવામાં આવશે.


મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સ્વ.ઉમેદસિંહ મનુભા ઝાલા કે જેમણે લોકોની સમસ્યાઓ ઉકેલાય અને સુવિધામાં વધારો થાય તેના માટે અગાઉ કામ કર્યું હતું તેઓ નાનાભાઈ લાલુભા મનુભા ઝાલા સહિતની ટિમ દ્વારા ૐ સાઈ શક્તિ ગ્રૂપ અને ગજ કેશરી ફાઉન્ડેશનના નેજા હેઠળ રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં કાલે તા ૨૮ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ કેમ્પને  સફળ બનાવવા માટે લાલુભા મનુભા ઝાલા, દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા અને પ્રવીણસિંહ બી.ઝાલા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News