મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો


SHARE











માળીયા (મી)ના સરવગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો

માળીયા (મી)ના સરવગામે જવાના મેઇન રોડ ઉપરથી યુવાન ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે ત્યાં એક શખ્સે તેને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે સામે વાળાને સારું લાગ્યું ન હતું જેથી બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ત્રણ શખ્સો દ્વારા છરી અને ધારિયા વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવેલ હતો ત્યારે તે યુવાનને બચાવવા માટે તેનો કૌટુંબિક ભાઈ વચ્ચે પડ્યો હતો જેથી તેને પણ છરીના ઘા માર્યા હતા જેથી આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને ગામમાં જ રહેતા પિતા-પુત્રોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના સરવ ગામે જુના વણકરવાસમાં રહેતા દીપકભાઈ વેલજીભાઈ મુછડીયા (27)હાલમાં અરવિંદભાઈ રણછોડભાઈ પરમાર, તુલસીભાઈ રણછોડભાઈ પરમાર અને રણછોડભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓનો કૌટુંબિક ભાઈ પંકજભાઈ હિરજીભાઈ મુછડીયા (35) ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે તેઓના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં અરવિંદભાઈ પરમારે તેને ગાળો આપી હતી જેથી પંકજભાઈતેને ગાળો આપવાની ના પાડી અને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યાર બાદ અરવિંદભાઈ તેના ભાઈ તુલસીભાઈ અને તેના પિતા રણછોડભાઈ દ્વારા પંકજભાઈ ઉપર છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અરવિંદભાઈ અને તુલસીભાઈ છરી લઈને આવ્યા હતા જ્યારે રણછોડભાઈ લોખંડનું ધારિયું લઈને આવ્યા હતા અને પંકજભાઈને ગાળો આપીને તુલસીભાઈતેના હાથમાં રહેલ છરી વડે પંકજભાઈને પેટ તથા ડાબા ખભામાં ઇજા કરી હતી જેથી ફરિયાદી દીપકભાઈ પંકજભાઈને છોડાવવા માટે વચ્ચે પડતા તેને તુલસીભાઈએ જમણા પડખે પીઠના ભાગે છરીનો ઘા મારી ઇજા કરી હતી અને રણછોડભાઈતેના હાથમાં રહેલ ધારીયા વડે જમણા હાથની આંગળીઓમાં માર મારીને ઇજા કરી હતી જે જીવલેણ હુમલામા ઇજા પામેલા બંને ભાઈઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ દીપકભાઈનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News