અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો


SHARE

















માળીયા (મી)ના સરવગામે ગાળો દેવાની ના કહેતા યુવાન અને તેના કૌટુંબિક ભાઈ ઉપર છરી અને ધારિયા વડે પિતા-પુત્રોએ કર્યો હુમલો

માળીયા (મી)ના સરવગામે જવાના મેઇન રોડ ઉપરથી યુવાન ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે ત્યાં એક શખ્સે તેને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે સામે વાળાને સારું લાગ્યું ન હતું જેથી બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ ત્રણ શખ્સો દ્વારા છરી અને ધારિયા વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવેલ હતો ત્યારે તે યુવાનને બચાવવા માટે તેનો કૌટુંબિક ભાઈ વચ્ચે પડ્યો હતો જેથી તેને પણ છરીના ઘા માર્યા હતા જેથી આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને ગામમાં જ રહેતા પિતા-પુત્રોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના સરવ ગામે જુના વણકરવાસમાં રહેતા દીપકભાઈ વેલજીભાઈ મુછડીયા (27)હાલમાં અરવિંદભાઈ રણછોડભાઈ પરમાર, તુલસીભાઈ રણછોડભાઈ પરમાર અને રણછોડભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓનો કૌટુંબિક ભાઈ પંકજભાઈ હિરજીભાઈ મુછડીયા (35) ગામમાં નરસંગ ભગવાનનો પાઠ હોય ત્યાં જમવા માટે જતો હતો ત્યારે તેઓના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં અરવિંદભાઈ પરમારે તેને ગાળો આપી હતી જેથી પંકજભાઈતેને ગાળો આપવાની ના પાડી અને બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યાર બાદ અરવિંદભાઈ તેના ભાઈ તુલસીભાઈ અને તેના પિતા રણછોડભાઈ દ્વારા પંકજભાઈ ઉપર છરી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અરવિંદભાઈ અને તુલસીભાઈ છરી લઈને આવ્યા હતા જ્યારે રણછોડભાઈ લોખંડનું ધારિયું લઈને આવ્યા હતા અને પંકજભાઈને ગાળો આપીને તુલસીભાઈતેના હાથમાં રહેલ છરી વડે પંકજભાઈને પેટ તથા ડાબા ખભામાં ઇજા કરી હતી જેથી ફરિયાદી દીપકભાઈ પંકજભાઈને છોડાવવા માટે વચ્ચે પડતા તેને તુલસીભાઈએ જમણા પડખે પીઠના ભાગે છરીનો ઘા મારી ઇજા કરી હતી અને રણછોડભાઈતેના હાથમાં રહેલ ધારીયા વડે જમણા હાથની આંગળીઓમાં માર મારીને ઇજા કરી હતી જે જીવલેણ હુમલામા ઇજા પામેલા બંને ભાઈઓને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ દીપકભાઈનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News