મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા


SHARE













મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે સરકારી ખરાબની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તે દબાણ કરનારા લોકોને જાતે દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કેટલાક દબાણકારોએ તેના દબાણ દૂર કર્યા ન હતા જેથી શુક્રવારે સરકારી બુલડોઝર ફેરવીને 10 જેટલા કાચા પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવે છે

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર સરકારી ખરાબની જગ્યાઓ તેમજ રોડ સાઈડમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા મામલતદારને ટીમ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દસ જેટલા કાચા પાકા દબાણોને તોડી પાડીને 15 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે 15 જેટલા દબાણો સ્થળ ઉપર હતા જે દબાણકારોને અગાઉ જાતે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી જે પૈકીના પાંચ જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા હતા જો કે, 10 દબાણકારોએ તેમના દબાણ તોડ્યા ન હતા જેથી સરકારી જેસીબી ફેરવીને તે દબાનોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. આવી જ રીતે આગામી સમયમાં જાંબુડીયા અને ત્રાજપર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News