અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા


SHARE

















મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા

મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે સરકારી ખરાબની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તે દબાણ કરનારા લોકોને જાતે દબાણ હટાવવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કેટલાક દબાણકારોએ તેના દબાણ દૂર કર્યા ન હતા જેથી શુક્રવારે સરકારી બુલડોઝર ફેરવીને 10 જેટલા કાચા પાકા દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવે છે

મોરબી શહેર અને જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર સરકારી ખરાબની જગ્યાઓ તેમજ રોડ સાઈડમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા મામલતદારને ટીમ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને દસ જેટલા કાચા પાકા દબાણોને તોડી પાડીને 15 એકર જેટલી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવેલ છે.

વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે 15 જેટલા દબાણો સ્થળ ઉપર હતા જે દબાણકારોને અગાઉ જાતે દબાણ હટાવવા માટે નોટિસ આપી હતી જે પૈકીના પાંચ જેટલા દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા હતા જો કે, 10 દબાણકારોએ તેમના દબાણ તોડ્યા ન હતા જેથી સરકારી જેસીબી ફેરવીને તે દબાનોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે. આવી જ રીતે આગામી સમયમાં જાંબુડીયા અને ત્રાજપર વિસ્તારમાં પણ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.






Latest News