મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે રહેતો યુવાન પરિણીતાને ભગાડી જતાં મહિલાના ભાઈઓ-પતિએ કર્યો હુમલો: યુવાનના કાકાની છરીનો ઘા ઝીકિને હત્યા


SHARE











હળવદના સુરવદર ગામે રહેતો યુવાન પરિણીતાને ભગાડી જતાં મહિલાના ભાઈઓ-પતિએ કર્યો હુમલો: યુવાનના કાકાની છરીનો ઘા ઝીકિને હત્યા

હળવદના સુરવદર ગામે રહેતા આધેડનો ભત્રીજો શક્તિનગર ગામે રહેતી પરણીતાને ભગાડી ગયેલ છે જેથી તે બાબતનો ખાર રાખીને પરણીતાના પતિ અને તે મહિલાના ભાઈઓ દ્વારા સુરવદર ગામે રહેતા આધેડ તેના દીકરા તેમજ દીકરી ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ત્યારે આધેડને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ચંદુભાઈ રાઘવજીભાઈ કોળી (55) નામના વૃદ્ધને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવેલ છે અને તેના દીકરા જયેન્દ્ર ચંદુલાલ કોળી (28) અને ચંદુભાઈની દીકરીને હુમલાખોરો દ્વારા મુંઢમાર મૂડ મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક વ્યક્તિના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને હત્યાના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યાના આ બનાવ વિષે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાયધ્રા ગામની કાજલ નામની દીકરીના લગ્ન શક્તિનગર ગામે થયેલ હતા અને તે કાજલ નામની પરિણીતાને મૃતક ચંદુભાઈ કોળીનો ભત્રીજો મનોજ કરસનભાઈ ધામેચા ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને કાજલના ભાઈઓ તથા તેના પતિ દ્વારા રવિવારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં છરી સહિતના હથિયાર સાથે હુમલો કર્યો હતો અને ત્યારે ચંદુભાઈ કોળીને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું છે જો કે, હત્યાના આ બનાવ બાદ બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને મૃતક વ્યક્તિના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરી છે સાથોસાથ હુમલો કરીને આધેડની હત્યા કરનારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.






Latest News