મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













મોરબીના રામકૃષ્ણનગરમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં સ્વ. ઉમેદભાઇ ઝાલાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ૧૦૫ જેટલા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સ્વ. ઉમેદભાઇ મનુભાઈ ઝાલા કે જેમણે લોકોની સમસ્યાઓ ઉકેલાય અને સુવિધામાં વધારો થાય તેના માટે અગાઉ કામ કર્યું હતું તેઓ નાનાભાઈ લાલુભા મનુભા ઝાલા સહિતની ટિમ દ્વારા ૐ સાઈ શક્તિ ગ્રૂપ અને ગજ કેશરી ફાઉન્ડેશનના નેજા હેઠળ ગઇકાલે તા ૨૮ ના રોજ રામકૃષ્ણનગર પાસે આવેલ નવી પોસ્ટ ઓફિસની બાજુમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજના આગેવાનો જયુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, અનિરુધ્ધસિંહ, દેવેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને આ કેમ્પને  સફળ બનાવવા માટે લાલુભા મનુભા ઝાલા, દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા અને પ્રવીણસિંહ બી. ઝાલા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News