મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે


SHARE













મોરબીના ખાનપર ગામે ઘરમાં મામલતદારની રેડ, 3071 કિલો ઘઉં-270 કિલો ચોખાનો સરકારી જથ્થો મળ્યો !: 4.36 લાખનો મુદામાલ કબજે

મોરબીના ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા શખ્સનાં ઘરે તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી ત્યારે તેના ઘરમાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવેલ છે જેથી અનાજ તેમજ વાહનો મળીને કુલ 4.36 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતનાં જુદાજુદા જીલ્લાઓમા સસ્તા અનાજની દુકાનથી જરૂરિયાત મંદ પરિવારને આપવા માટે જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તેમાંથી ઘણો જથ્થો બારોબાર વેચી નાખવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી તાલુકા મામલતદાર એમ.ટી. ધનવાણી અને તેની ટિમને બાતમી મળી કે ખાનપર ગામે સરકારી અનાજને સગેવગે કરી રહ્યા છે જેથી તાલુકા મામલતદાર સહિતની ટિમ પહોચી હતી અને ખાનપર ગામે બસ સ્ટેશન પાસે રહેતા ઇમ્તિયાઝ ગુલમામદ ગોધવિયાના ઘરે ચેક કર્યું હતું ત્યારે તેના ઘરમાંથી 3071.350 કિલોગ્રામ ઘઉં અને 270.480 કિલોગ્રામ ફોર્ટિફાઇડ ચોખા આમ કુલ મળીને 1,86,617 નો અનાજનો જથ્થો તેમજ 2 લાખની કિંમતની રિક્ષા અને 50 હજારની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને 4,36,617 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ અનાજના જથ્થાના બિલ કે કોઈ આધાર પુરાવા તેની પાસે નથી જેથી અનાજના સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.




Latest News