મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ રકમ પૈકી ૧.૭૫ લાખ શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યા


SHARE







મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ રકમ પૈકી ૧.૭૫ લાખ શહીદ જવાનના પરિવારને અર્પણ કર્યા

થોડા સમય પહેલા જમ્મુ-કશ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ છે જેમાં પંજાબ ૩, ઉત્તરપ્રદેશ ૧, કેરળ ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતા રામચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં જ અજય લોરીયા અને તેમની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેમની ટિમ દ્વારા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને મોરબીના રાષ્ટ્રભક્તોએ આપેલ ફંડમાંથી રૂા.૧.૭૫ લાખ આપીને માઁ ભારતીનું ઋણ અદા કરવામાં આવ્યુ હતુ.ત્યાં રાજપુત કરણી સેના દ્રારા શહીદ જયદિપસિંહ પરિવારને મદદરૂપ થવા લોકડાયરાનું આયોજન કરાયુ હતુ.જે દરમ્યાન ત્યાં રૂબરૂ પહોંચીને અજયભાઇએ શહિદ પરિવારને આર્થિક સહયોગ આપ્યો હતો.






Latest News