ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના ઢુવા પાસે વીસનાલા નજીક બાવળની કાંટમાં અજાણ્યા વૃદ્ધે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં વીસનાલા નજીક આવેલ સુરાપુરાના મંદિર પાસે બાવળની કાટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ગામની સીમમાં વિસનાલા પાસે ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહની વાડીમાં આવેલ ભરવાડના સુરાપુરાના મંદિર પાસે બાવળની કાંટમાં કોઈ અજાણ્યા 60 થી 65 વર્ષના વૃદ્ધે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રૂપસિંગભાઈ પરથીભાઇ ચૌહાણ (42) રહે. જુના ઢુવા ગામ વાંકાનેર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીમાં ગાંધી ચોક પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરીફ મુસ્તાકભાઈ (44) રહે. મકરાણીવાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ નજીક અમરધામ રોડ ઉપર રોજવુડ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલીપભાઈ કાંતિલાલ મહેતા (37) રહે. અમરધામ પાસે માટેલ વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 330 ની રોકડ કબ્જે કરીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News