બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ
મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે
SHARE
મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ ખાતેથી તા. 24/7/2026 ને શુક્રવારે બપોર પછી 4 વાગ્યે મોરબીમાં રથયાત્રા નીકળશે.
મોરબીમાં શુક્રવારે જે રથયાત્રા નીકળશે તે મોર્ડન હોલથી દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ.પી. રોડ, અવની ચોકડી, ઉમિયા સર્કલ અને મોર્ડન હોલ ખાતે રથયાત્રાને પૂરી કરવામાં આવશે. આ રથયાત્રામાં જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રા વિશાળ રથ ઉપર આરૂઢ થશે અને મોરબીવાસીઓને દર્શન આપશે. જેથી મોરબીવાસીઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને ભગવાનનો રથ ખેંચવા અચૂક પધારવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે. અને આ રથયાત્રા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા મોર્ડન હૉલ ખાતે કરવામાં આવી છે અને વધુ માહિતી માટે ડો. અતુલ વિષ્ણુ દાસ (7016707756)નો સંર્પક કરવા માટે જણાવ્યુ છે.