માળીયા (મી)ના સરવડ ગામે કરાયેલ બોગસ ખેડૂત ખાતેદાર કાંડની તપાસ ડીવાયએસપી ઝાલાને સોંપાઈ
મોરબીમાં રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
SHARE
મોરબીમાં રવિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
મોરબીમાં આગામી તા ૧૬ ના રોજ સ્વ.સરોજબેન પ્રફુલભાઈ દોશીના આત્મા શ્રેયાર્થે પ્રફુલભાઈ તથા મેહુલભાઈ દોશી દ્વારા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજીત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી. કેમ્પ નં.૧૯૩ ના દાતાશ્રી શ્રીમતિ રેણુલેન કિશોરભાઈ શેઠ મુંબઈ પ્રેરીત કેન્સર નિદાન કેમ્પમાં મુંબઇના કેન્સર નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી (M.S.) કેન્સરના દર્દીઓને તા.૭-૬-૨૫ શનિવાર સાંજે ૪ થી ૭ અને તા. ૮-૬-૨૫ રવિવારે સવારે ૯- થી ૧૨ ના સમય દરમ્યાન વિના મુલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.આ કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર/મેડીકલ ઓફીસર ડો.સયુરભાઈ મો.૯૫૩૭૦ ૯૯૨૧૯ પાસે અગાઉથી નોંધાવી જવા અને તપાસ કરાવવા માટે આવો ત્યારે પોતાના કેશ પેપર્સ સાથે લાવવા તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદેરાય શાહ જણાવેલ છે.