મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો

ધાંગધ્રાના જીવા ગામે રહેતા ખેડૂત પોતાની ઉપજ હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા અને ત્યાં માલનું વેચાણ કરીને તેઓ રોકડા રૂપિયા લઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં મળેલા બે અજાણ્યા શખ્સ દ્વારા તેઓને ઊભા રાખીને મંદિરનો રસ્તો પૂછવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેઓની પાસેથી રોકડા 1.22 લાખ લૂંટી લેવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા (50) નામના આધેડે બે અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ હળવદ માર્કેટ યાર્ડ ખાતે પોતાની ખેતીની ઉપજ તલનું વેચાણ કરવાં માટે આવ્યા હતા અને તલનું વેચાણ કરીને મળે 1.12 લાખ તેમજ તેઓની પોસે રહેલા રોકડા 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 1.22 લાખ લઈને ઘરે જતાં હતા ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ગાડી લઈને આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરનો રસ્તો પૂછવાના બહાને તેઓને ઊભા રાખવાના આવ્યા હતા અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા બાપુના દર્શન કરવા માટે થઈને ગાડીના ચાલકે કહ્યું હતું જેથી ફરિયાદી તેના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમને પકડી રાખવામાં આવ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 1,22,000 પડાવી લેવામાં આવ્યા હતા અને ગાડીમાં ઢસડીને ફરિયાદીને થોડે દૂર સુધી લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ રસ્તા પાસે તેઓને છોડીને ગાડીમાં આવેલા અજાણ્યા બંને શખ્સ નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News