આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત મોરબીના ગ્રાહકને નિયમ મુજબ બોઇલરનું સર્ટી ન આપતા પંજાબની કંપનીને ગ્રાહક સુરક્ષા મંડળે ૨૩.૧૭ લાખ ચુકવવા આદેશ કર્યો મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમા અસંખ્ય માછલાના મોત પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો મોરબી જિલ્લાની વિકાસ વાટિકાનું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું મોરબી: વાદળ છાયા વાતાવરણમાં કેટલીક બાબતોની કાળજી રાખી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને વધુ અસરકારક બનાવીએ મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો
Breaking news
Morbi Today

હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE















હળવદ નજીક મંદિરનો રસ્તો પૂછવાના બહાને ખેડૂતને રોકીને 1.22 લાખનું લૂંટ કરનાર અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધાયો

ધાંગધ્રાના જીવા ગામે રહેતા ખેડૂત પોતાની ઉપજ હળવદ માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવ્યા હતા અને ત્યાં માલનું વેચાણ કરીને તેઓ રોકડા રૂપિયા લઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં મળેલા બે અજાણ્યા શખ્સ દ્વારા તેઓને ઊભા રાખીને મંદિરનો રસ્તો પૂછવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેઓની પાસેથી રોકડા 1.22 લાખ લૂંટી લેવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા (50) નામના આધેડે બે અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ હળવદ માર્કેટ યાર્ડ ખાતે પોતાની ખેતીની ઉપજ તલનું વેચાણ કરવાં માટે આવ્યા હતા અને તલનું વેચાણ કરીને મળે 1.12 લાખ તેમજ તેઓની પોસે રહેલા રોકડા 10 હજાર રૂપિયા આમ કુલ મળીને 1.22 લાખ લઈને ઘરે જતાં હતા ત્યારે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ગાડી લઈને આવેલા બે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરનો રસ્તો પૂછવાના બહાને તેઓને ઊભા રાખવાના આવ્યા હતા અને ત્યારબાદ ગાડીમાં બેઠેલા બાપુના દર્શન કરવા માટે થઈને ગાડીના ચાલકે કહ્યું હતું જેથી ફરિયાદી તેના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેમને પકડી રાખવામાં આવ્યા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 1,22,000 પડાવી લેવામાં આવ્યા હતા અને ગાડીમાં ઢસડીને ફરિયાદીને થોડે દૂર સુધી લઈ જવામાં આવ્યા હતા ત્યાર બાદ રસ્તા પાસે તેઓને છોડીને ગાડીમાં આવેલા અજાણ્યા બંને શખ્સ નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News