મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ
SHARE









મોરબીમાં નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસી કેમ્પ યોજાયો : 125થી વધુ દર્દીઓએ લાભ લીધેલ
પરમ શ્રદ્ધેય પુજય શ્રી ધીર ગુરૂદેવની પ્રેરણાથી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા ગઈકાલ તા.08 ને રવીવારના રોજ નિ:શુલ્ક દંતયજ્ઞ અને બત્રીસીના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે 90 જેટલા દર્દીઓ દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યા હતા, જેમાં 35 દર્દીઓએ ફી બત્રીસી (ચોકઠા)નો લાભ લીધેલ. આ કેમ્પમાં ડો. જયસુખભાઈ મકવાણા તથા જાગૃતિબેન ચૌહાણ તથા મોનીકાબેન ભટ્ટ વિગેરેએ સુંદર સેવા બજાવેલ.
આ કેમ્પનું ઉદઘાટન આ કેમ્પના દાતા માલીનીબેન સંઘવીના મોટા બહેન નિર્મળાબેન મહેતાએ દીપ પ્રગટાવીને કર્યું હતું. સ્થાનકવાસી જૈન સંઘ, સોનીબજાર, મોરબીના ટ્રસ્ટીઓ નવીનભાઈ દોશી, અશોકભાઈ મહેતા, ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, કેતનભાઈ મહેતા તથા નિતીનભાઈ દોશી તથા અશોકભાઈ મહેતા તથા ચેતના દોશી વિગેરેએ કેમ્પને સફળ બનાવવા માટે ઘણી જહેમત ઉઠાવી હતી.

