મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી


SHARE

















મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. જયારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાની યોગ દિવસની ઉજવણી મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે.

સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ અને સામાન્ય કસરત એ ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં બેઠાડું જીવન અને વધારે પડતું તણાવ અનેક રોગનું કારણ બની રહ્યું છે. ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ તરીકે લોકોને યોગનું મહત્વ સમજાવવા અને યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાના હેતુથી સમગ્ર દેશ દુનિયામાં આ વર્ષે 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ' ની થીમ સાથે ૨૧ જૂનના રોજ ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાએ અને તેની સાથે તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર કક્ષાએ ૨૧ જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન  મણીમંદિર ખાતે કરવામાં આવનાર છે. મોરબી શહેર કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરવાસીઓને ઉપસ્થિત રહેવા મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેઅનુરોધ કર્યો  છે. ઉલેખનીય છે કે, મોરબીની ઓળખ સમાન મણીમંદિર કે, જે સંસ્કૃતિ અને સ્થાપત્યની દ્રષ્ટિએ વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે મોરબીની વિરાસત સમાન સ્થળ એવા મણિમંદિર ખાતે યોગને હેરિટેજ સાથે સાંકળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે






Latest News