મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું


SHARE











મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું

વાંકાનેરમાં રહેતા વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું મોરબીમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. અને તેઓએ પત્રકાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે તેઓએ પત્રકારોને જણાવ્યુ હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકો કોઈપણ રજૂઆત કે પ્રશ્ન હોય તો તેની લેખિતમાં રજૂઆત કરી શકશે.

મોરબી કલેકટર કચેરી ખાતે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલય ખાતે મોરબીના પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ કરીને કેસરીદેવસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી શહેર તથા જિલ્લાના લોકોના કેન્દ્ર અને રાજ્ય સરકારે લગતા કોઈ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તેની રજૂઆત તેઓ કરી શકશે. અને લોકસભા ચાલુ ન હોય ત્યારે દર સોમવારે તેઓ મોરબી કલેકટર ખાતે તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે હાજર રહેશે અને લોકોના પ્રશ્નો ઉકેલાય તથા લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે યોગ્ય જગ્યાએ લોકોની વાતને પહોચાડશે.

ખાસ કરીને આ તકે પત્રકારો દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય અને સુવિધાઓ વધે તે માટે થઈને મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં રહેવા ફરવા લાયક સ્થળોને ડેવલોપ કરવામાં આવે તે ઉપરાંત મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રિવરફ્રન્ટની વર્ષોથી વાતો કરવામાં આવે છે તેને સાકાર કરવામાં આવે તથા અન્ય જે નશાકારક વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે તેના સહિતના દૂષણો છે તે દૂષણોને ડામવા માટે થઈને પણ સાંસદને કહેવામા આવ્યું હતું.






Latest News