મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત
મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ
SHARE









મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તા. ૧૦ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે.
આ અરજીના મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં.
વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ
મોરબી જિલ્લામાં આયુષ્માન કાર્ડ બનાવવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. અને આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત વયવંદના યોજનાના લાભાર્થીઓ (૭૦ વર્ષ કે તેથી વધુ વય ના વરિષ્ઠ નાગરીકો) અને NFSA રેશનકાર્ડ ધરાવતા યાદી મુજબના તમામ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાનું કામ હાલમાં દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં ચાલી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી લોકોને અપીલ કરવામાં આવે છે કે, ઉપરોક્ત લાભાર્થીઓએ ઈમરજન્સીની રાહ ન જોતા તાત્કાલિક આયુષ્માન કાર્ડ(PMJAY) કઢાવવું. આ કામગીરી માટે આપના નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરશો. આયુષ્માન કાર્ડ લાભાર્થી જાતે પણ આયુષ્માન એપ દ્વારા Beneficiary ID માંથી તથા PMJAY પોર્ટલ https:// beneficiary.nhm.gov.in પરથી જાતે કાઢી શકશે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્યની યાદીમાં જણાવાયું છે
