મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ
Breaking news
Morbi Today

એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ


SHARE

















એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ

સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી આવે ત્યાર બાદ લોકોમાં ઘણી વખત વેરઝેર થાય તેવું જુદાજુદા ગામોમાં જોવા મળે છે જો કે, સૌહાર્દ, સંસ્કાર અને સહયોગી ચેતનાનો શ્રેષ્ઠ સંયોગ એટલે માળીયા મિયાણાં તાલુકાનું મહેન્દ્રગઢ ગામ. આ ગામમાં  સરપંચ બાદ ઉપસરપંચની વરણી પણ બિન હરીફ કરવામાં આવેલ છે.

થોડાક સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતનું ચૂંટણીમાં વાદવિવાદ અને મતભેદથી ઉપર રહીને સમરસ પદ્ધતિ દ્વારા ગામના સરપંચ તરીકે છાયાબેન કમલેશભાઈ નિમાવતને સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી અને નાના એવા ગામમાં લોકશાહીનું ઉતમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ પંચાયતની બોડી દ્વારા સર્વસંમતિથી જાનકીબેન મહીપતભાઈ ઠોરિયાની  ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. આમ ગામમાં સરપંચ અને ઉપસરપંચની વરણી બિનહરીફ થવાથી ગામમાં સંપ, શાંતિ, સુમેળ અને એકતા અકબંધ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મળીને ગામને પ્રગતિશીલ બનાવે અને આ ગામ અન્ય લોકો માટે આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તેવી લાગણી ગામના લોકોએ વ્યક્ત કરી છે.






Latest News