મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ


SHARE













એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ

સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી આવે ત્યાર બાદ લોકોમાં ઘણી વખત વેરઝેર થાય તેવું જુદાજુદા ગામોમાં જોવા મળે છે જો કે, સૌહાર્દ, સંસ્કાર અને સહયોગી ચેતનાનો શ્રેષ્ઠ સંયોગ એટલે માળીયા મિયાણાં તાલુકાનું મહેન્દ્રગઢ ગામ. આ ગામમાં  સરપંચ બાદ ઉપસરપંચની વરણી પણ બિન હરીફ કરવામાં આવેલ છે.

થોડાક સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતનું ચૂંટણીમાં વાદવિવાદ અને મતભેદથી ઉપર રહીને સમરસ પદ્ધતિ દ્વારા ગામના સરપંચ તરીકે છાયાબેન કમલેશભાઈ નિમાવતને સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી અને નાના એવા ગામમાં લોકશાહીનું ઉતમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ પંચાયતની બોડી દ્વારા સર્વસંમતિથી જાનકીબેન મહીપતભાઈ ઠોરિયાની  ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. આમ ગામમાં સરપંચ અને ઉપસરપંચની વરણી બિનહરીફ થવાથી ગામમાં સંપ, શાંતિ, સુમેળ અને એકતા અકબંધ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મળીને ગામને પ્રગતિશીલ બનાવે અને આ ગામ અન્ય લોકો માટે આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તેવી લાગણી ગામના લોકોએ વ્યક્ત કરી છે.




Latest News