મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ


SHARE











એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ

સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી આવે ત્યાર બાદ લોકોમાં ઘણી વખત વેરઝેર થાય તેવું જુદાજુદા ગામોમાં જોવા મળે છે જો કે, સૌહાર્દ, સંસ્કાર અને સહયોગી ચેતનાનો શ્રેષ્ઠ સંયોગ એટલે માળીયા મિયાણાં તાલુકાનું મહેન્દ્રગઢ ગામ. આ ગામમાં  સરપંચ બાદ ઉપસરપંચની વરણી પણ બિન હરીફ કરવામાં આવેલ છે.

થોડાક સમય પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતનું ચૂંટણીમાં વાદવિવાદ અને મતભેદથી ઉપર રહીને સમરસ પદ્ધતિ દ્વારા ગામના સરપંચ તરીકે છાયાબેન કમલેશભાઈ નિમાવતને સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી અને નાના એવા ગામમાં લોકશાહીનું ઉતમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું ત્યાર બાદ પંચાયતની બોડી દ્વારા સર્વસંમતિથી જાનકીબેન મહીપતભાઈ ઠોરિયાની  ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. આમ ગામમાં સરપંચ અને ઉપસરપંચની વરણી બિનહરીફ થવાથી ગામમાં સંપ, શાંતિ, સુમેળ અને એકતા અકબંધ રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અને ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મળીને ગામને પ્રગતિશીલ બનાવે અને આ ગામ અન્ય લોકો માટે આગામી દિવસોમાં પ્રેરણારૂપ બને તેવી લાગણી ગામના લોકોએ વ્યક્ત કરી છે.






Latest News