મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

માળીયા મીયાણા તાલુકાના માણબા ગામના પાદરમાં આવેલ તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મુતકના પરિવારજન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો બળવંતભાઈ કેસરાભાઈ બારીયા (31) નામનો યુવાન માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણસર તે પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ધનસુખભાઈ મોહનભાઈ બારીયા (46) રહે હાલ સિમ્પલો સિરામિક કારખાનામાં વાધરવા મૂળ રહે. દાહોદ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે વાડી વિસ્તારમાં અનુબેન વખતસિંહ ડાહીમા નામની દોઢ વર્ષની બાળકીને વીંછી કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ રઘુરામ ખાંડેખાં (34) નામના યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News