મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE













મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને ત્યારે રિક્ષામાં બેઠેલા બે યુવાનોને ઇજા થહોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા નજીક આવેલ સાલદીપ કારખાનામાં રહેતા સુનિલ રાજેન્દ્રભાઈ ઠાકુર (28) અને વિરાજ ઉપેન્દ્રભાઈ ઠાકુર (21) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ સનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસેથી બંને યુવાન રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને તે અકસ્માતના બનાવમાં બંને યુવાનને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતો દીપ હિતેશભાઈ સનારીયા (19) નામનો યુવાન રાજપરથી શનાળા આવવાના રસ્તા ઉપર આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના અમરનગર ખાતે રહેતા અશોકભાઈ વલ્લભભાઈ ભોજાણી (50) નામના આધેડને વીસી ફાટક સર્કલ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News