મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE











મોરબીના શનાળા ગામ નજીક ગાય આડી આવતા રીક્ષા પલટી: ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામ નજીક આવેલ સીએનજીના પંપ પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે રીક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને ત્યારે રિક્ષામાં બેઠેલા બે યુવાનોને ઇજા થહોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા નજીક આવેલ સાલદીપ કારખાનામાં રહેતા સુનિલ રાજેન્દ્રભાઈ ઠાકુર (28) અને વિરાજ ઉપેન્દ્રભાઈ ઠાકુર (21) નામના બે યુવાનોને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ સનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસેથી બંને યુવાન રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાની આડે ગાય આવવાના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી અને તે અકસ્માતના બનાવમાં બંને યુવાનને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતો દીપ હિતેશભાઈ સનારીયા (19) નામનો યુવાન રાજપરથી શનાળા આવવાના રસ્તા ઉપર આવેલ મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના અમરનગર ખાતે રહેતા અશોકભાઈ વલ્લભભાઈ ભોજાણી (50) નામના આધેડને વીસી ફાટક સર્કલ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News