મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE

















માળીયા (મી)ના માણબા નજીક તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

માળીયા મીયાણા તાલુકાના માણબા ગામના પાદરમાં આવેલ તળાવમાં યુવાન ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મુતકના પરિવારજન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો બળવંતભાઈ કેસરાભાઈ બારીયા (31) નામનો યુવાન માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણસર તે પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ધનસુખભાઈ મોહનભાઈ બારીયા (46) રહે હાલ સિમ્પલો સિરામિક કારખાનામાં વાધરવા મૂળ રહે. દાહોદ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વેણાસર ગામે વાડી વિસ્તારમાં અનુબેન વખતસિંહ ડાહીમા નામની દોઢ વર્ષની બાળકીને વીંછી કરડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

વાંકાનેરની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ રઘુરામ ખાંડેખાં (34) નામના યુવાનને રવાપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે અજાણ્યા બાઈક વાળાએ હડફેટે લેતા યુવાનને ઈજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News