મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના નવલખી રોડે ઓવરલોડ વાહન લઈને નીકળતા નશાખોર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ

મોરબીમાં આવેલ નવલખી રોડે જે વાહનો પસાર થાય છે તેવા ઓવરલોડ માલ ભરેલો હોય છે અને કેટલાક વાહન ચાલકો નશાકારક પદાર્થોનું સેવન કરીને બેફામ ગતિમાં ઓવરલોડ વાહનો ચલાવતા હોય છે જેથી કરીને આવા વાહન ચાલકોની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા આરટીઓના અધિકારીને લેખિત રજૂઆત કરીને માંગ કરેલ છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, નવલખી હાઈવે પરથી પસાર થતા કેટલાક ઓવરલોડ વાહનોમાંથી કાંકરી, પથ્થર, રેતી અને કોલસો રસ્તા ઉપર પડે છે. જેથી ગંભીર અકસ્માત થવાનું જોખમ રહે છે તેમજ નશાની હાલતમાં કેટલાક વાહન ચાલકો ભૂતકાળમાં આ રોડ ઉપર ગંભીર અકસ્માત સર્જી ચૂક્યા છે ત્યારે આગામી સમયમાં નિર્દોષ લોકોનો જીવ આવા વાહન ચાલકોના લીધે ન જાય તે માટે વાહન ચેક કરવામાં આવે અને ઘણા વાહન ચાલકો પાસે લાયસન્સ પણ ન હોય તેવી શક્યતા છે જેથી કરીને આ બાબતે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આરટીઓ કચેરીની રહેશે. તેવું જણાવ્યુ છે તેમજ આગામી 8 દિવસમાં જો સંતોષકારક કાર્યવાહી આરટીઓ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News