મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં યુરીયા ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ બંધ કરાવીને ખેડૂતોને આપવા કોંગ્રેસના પ્રમુખે કરી રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં યુરીયા ખાતરનો ઓદ્યોગીક ઉપયોગ બંધ કરાવીને ખેડૂતોને આપવા કોંગ્રેસના પ્રમુખે કરી રજૂઆત

મોરબી જિલ્લામાં ખેડૂતોને યુરીયા ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ આપવામાં આવે છે અને જો ખેડૂતો દ્વારા નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડવામાં આવે તો તેઓને યુરીયા ખાત આપવાની મનાઈ કરવામાં આવી રહી છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે નાયબ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, ખેડૂતો યુરીયા ખાતર લેવા જાય છે ત્યારે તેઓને યુરીયા ખાતર સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ લેવા માટે કહેવામા આવે છે અને જો ખેડૂતો નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડે તો યુરીયા ખાતર આપવું નહીં. તેમ કહીને ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. તો શું ખેતીવાડી કચેરી તરફથી આવું દબાણ કરવામાં આવે છે કે કેમ ? તેવો સવાલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે.

વધુમાં તેઓએ કહ્યું છે કે, ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતું હોવાની જાણકારી મળી છે. જો ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં જે જથ્થો જાય છે તેને અટકાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને સમયાંતરે ખાતર પૂરું પાડવામાં આવે તેમજ નેનો ખાતર અને અન્ય દવાઓ આપવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. અને જો આ રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો નાછુટકે ખેડૂતોના સાથે રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ બનાવો

મોરબી જીલ્લાનો નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ અતિ જર્જરીત હાલતમાં આવેલ છે.આ રોડ અનેક નાના-મોટા ગામડાઓને જોડતો મુખ્ય હાઈવે છે.આ રોડ ઉપરથી નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે.રોડની જર્જરીત હાલતના કારણે વાહનોના અકસ્માત થવાની પણ દહેસત છે.તેમજ આ અગાઉ ખરાબ રોડના કારણે અકસ્માત થવાના પણ બનાવો સામે આવેલ છે.હાલમાં વરસાદના કારણે હાઈવે ઉપર અમુક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયેલ છે.જેના કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકશાની થાય છે.તેમજ ગામડેથી ધંધા અર્થે મોરબી આવતા-જતાં લોકો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓેએ રોડની જર્જરીત હાલતના કારણે જીવના જોખમે પસાર થવું પડે છે.જેથી ઉપરોક્ત રજુઆતને ધ્યાને લઈ નવલખી ફાટકથી નવલખી બંદર સુધીનો રોડ તાત્કાલીક ધોરણે બનાવી આપવા ઘટીત કાર્યવાહી કરવા પણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ માંગ કરેલ છે.






Latest News