મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી


SHARE











વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી

વાંકાનેરના લાલપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારની સગીર દીકરી સાડીનો હીચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે તેણે કોઈ કારણોસર ગળાફાંસો આવી ગયો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં ખેતરના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ શાહ સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમરસિંહ રાજુભાઈ ડામોરની 12 વર્ષની દીકરી સંજુબેનને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો આવી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઇ લાવાડીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સંજુબેન કવાર્ટરમાં સાડીનો હિંચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે કોઈ કારણોસર તેણે ગળાફાંસો આવી જવાના કારણે તેનું મોત નીપજયું છે જે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાંનો સ્નોસ્ટોન કારખાનાની પાછળ આવેલ ખેતરના શેઢે વોકળાના કાંઠેથી મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલ જગરનાથ યાદવ (31) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને મનોજભાઈ જેરામભાઈ પાડલીયા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને આગળની તપાસ ચાલી રહી છે.






Latest News