મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી


SHARE







વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી

વાંકાનેરના લાલપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારની સગીર દીકરી સાડીનો હીચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે તેણે કોઈ કારણોસર ગળાફાંસો આવી ગયો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં ખેતરના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ શાહ સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમરસિંહ રાજુભાઈ ડામોરની 12 વર્ષની દીકરી સંજુબેનને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો આવી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઇ લાવાડીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સંજુબેન કવાર્ટરમાં સાડીનો હિંચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે કોઈ કારણોસર તેણે ગળાફાંસો આવી જવાના કારણે તેનું મોત નીપજયું છે જે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાંનો સ્નોસ્ટોન કારખાનાની પાછળ આવેલ ખેતરના શેઢે વોકળાના કાંઠેથી મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલ જગરનાથ યાદવ (31) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને મનોજભાઈ જેરામભાઈ પાડલીયા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને આગળની તપાસ ચાલી રહી છે.






Latest News