મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી


SHARE











વાંકાનેરના લાલપર ગામે પાસે કારખાનાના કવાર્ટરમાં હીચકા ખાતી વખતે ગળાફાંસો આવી જતાં સગીરાનું મોત: મોરબીના વાઘપર ગામ પાસે વોકળાના કાંઠેથી યુવાનની લાશ મળી

વાંકાનેરના લાલપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા પરિવારની સગીર દીકરી સાડીનો હીચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે તેણે કોઈ કારણોસર ગળાફાંસો આવી ગયો હતો જેથી તે સગીરાનું મોત નીપજયું હતું જ્યારે મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં ખેતરના સેઢા પાસેથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાથી તે અંગેની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ શાહ સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમરસિંહ રાજુભાઈ ડામોરની 12 વર્ષની દીકરી સંજુબેનને કોઈ અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો આવી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ કરી રહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નારણભાઇ લાવાડીયા સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, સંજુબેન કવાર્ટરમાં સાડીનો હિંચકો બાંધેલ હતો તેમાં હીચકા ખાતી હતી ત્યારે કોઈ કારણોસર તેણે ગળાફાંસો આવી જવાના કારણે તેનું મોત નીપજયું છે જે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાંનો સ્નોસ્ટોન કારખાનાની પાછળ આવેલ ખેતરના શેઢે વોકળાના કાંઠેથી મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અનિલ જગરનાથ યાદવ (31) નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને મનોજભાઈ જેરામભાઈ પાડલીયા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને આગળની તપાસ ચાલી રહી છે.






Latest News