મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન


SHARE











મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન

મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી ખાતે ધાર્મિક અનુષ્ઠાન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

પીપળી નેશનલ હાઈવે ઉપર મહંત કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ આવેલ છે છેલ્લા 28 વર્ષથી તેઓ શ્રી મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. અને કલ્યાણદાસજી બાપુનો આશ્રમ કોઠારામાં પણ છે. મહંત કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવેલ હતી અને સવારે ચારથી સાડા પાંચ સુધી યોગ શિબિરની અંદર હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી. અને તેઓએ ચાર વખત ભારતનું પદ ભ્રમણ કરેલ હતું.

પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે આવતા હતા અને તેઓના શિષ્ય રત્ન પૂજ્ય શરદમુની બાપુ હાલ મોરબી આશ્રમમાં બિરાજે છે. અને કલ્યાણદાસ બાપુના સેવકો તરફથી અને શ્રી શરદમુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગામી તા. 4 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં આવવા માટે અને ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News