મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન


SHARE











મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન

મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી ખાતે ધાર્મિક અનુષ્ઠાન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

પીપળી નેશનલ હાઈવે ઉપર મહંત કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ આવેલ છે છેલ્લા 28 વર્ષથી તેઓ શ્રી મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. અને કલ્યાણદાસજી બાપુનો આશ્રમ કોઠારામાં પણ છે. મહંત કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવેલ હતી અને સવારે ચારથી સાડા પાંચ સુધી યોગ શિબિરની અંદર હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી. અને તેઓએ ચાર વખત ભારતનું પદ ભ્રમણ કરેલ હતું.

પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે આવતા હતા અને તેઓના શિષ્ય રત્ન પૂજ્ય શરદમુની બાપુ હાલ મોરબી આશ્રમમાં બિરાજે છે. અને કલ્યાણદાસ બાપુના સેવકો તરફથી અને શ્રી શરદમુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગામી તા. 4 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં આવવા માટે અને ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News