ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન


SHARE













મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન

મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી ખાતે ધાર્મિક અનુષ્ઠાન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

પીપળી નેશનલ હાઈવે ઉપર મહંત કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ આવેલ છે છેલ્લા 28 વર્ષથી તેઓ શ્રી મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. અને કલ્યાણદાસજી બાપુનો આશ્રમ કોઠારામાં પણ છે. મહંત કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવેલ હતી અને સવારે ચારથી સાડા પાંચ સુધી યોગ શિબિરની અંદર હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી. અને તેઓએ ચાર વખત ભારતનું પદ ભ્રમણ કરેલ હતું.

પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે આવતા હતા અને તેઓના શિષ્ય રત્ન પૂજ્ય શરદમુની બાપુ હાલ મોરબી આશ્રમમાં બિરાજે છે. અને કલ્યાણદાસ બાપુના સેવકો તરફથી અને શ્રી શરદમુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગામી તા. 4 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં આવવા માટે અને ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News