ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત એક થપ્પડ કી ગુંજ: મોરબીમાં કેમ ચાલુ જાહેર સભામાં યુવાનને પડ્યો લાફો ?, AAP સત્તામાં નથી ત્યાં આવી દાદાગીરી ! સોશ્યલ મીડિયામાં સવાલોનો મારો મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત


SHARE















મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત

મોરબીના ખરેડા ગામે રહેતા યુવાને છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય ભૂખ્યા પેટે દવા પી લેતા તેને ઉલ્ટી થવા લાગી હતી અને અર્ધબેભાન અવસ્થામાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમિયાન તે યુવાનનું બીમારી સબબ મોત નીપજ્યું છે જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સુરેશભાઈ છગનભાઈ બજાણીયા (42) નામનો યુવાન છેલ્લા છ સાત દિવસથી બીમાર હોય તેણે ભૂખ્યા પેટે દવા પી લીધી હતી અને સમયસર જમતો ન હતો જેથી તે યુવાનને ઉલ્ટી થવા લાગતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર માટે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન ગઈકાલે બપોરે દોઢે વાગ્યાના અરસામાં તે યુવાનનું બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ વસંત પાર્કમાં રહેતા જીગ્નેશભાઈ જયંતીલાલ હડીયલની 21 વર્ષની દીકરી દિયાબેન પોતાના ઘરે હતી ત્યારે તેને માથામાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હળવદમાં આવેલ નારાયણ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News