મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશી જેલ હવાલે: હવે કોનો વારો લોકમુખે ચર્ચા


SHARE













મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશી જેલ હવાલે: હવે કોનો વારો લોકમુખે ચર્ચા

મોરબીના વજેપર ગામની સર્વે નંબર 602 વાળી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદના આધારે હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટિમ તપાસ કરી રહી છે અને આ ગુનામાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે.તેવામાં છેલ્લા આ ગુનામાં તપાસનીસ અધિકારી દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આજે ફરી અતુલ જોશીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને કોર્ટના આદેશથી જેલ હવાલે કરવામા આવેલ છે તેવી માહિતી અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીમાં જમીનના મૂળ માલિકની જાણ બહાર ત્રાહિત મહિલાને વારસદાર બનાવીને બારોબાર જમીન પચાવી પાડવા માટે બોગસ દરતાવેજી પુરાવાઓ ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું જો કે, જમીનના મૂળ માલિક ભીમજીભાઇ નકુમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ કરી રહી છે અને આ ગુનામાં પહેલા સાગર ફૂલતરિયા, ભરત દેગામાહેતલબેન ભોરણિયાસાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે.

તેવામાં છેલ્લે સીઆઇડીની ટીમે છઠ્ઠા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા જે તે સમયે કોર્ટે તેના તા 11 ને સોમવારે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં સીઆઇડીની ટિમ દ્વારા આજે મોરબીની કોર્ટમાં ફરી આરોપી અતુલ જોશીને રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કોર્ટના આદેશ મુજબ જયુડિશયલ કસ્ટડી એટ્લે કે જેલ હવાલે કરવામાં આવેલ છે. જો કે, તેના રિમાન્ડ દરમ્યાન શું માહિતી સામે આવેલ છે તેની હક્કિત હજુ સુધી બહાર આવી નથી પરંતુ હાલમાં મોરબીમાં ઘણા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોગસ દસ્તાવેજ આધારે જમીન ત્રાહિત મહિલાને નામે કરવામાં આવી હતી આ કામ અધિકારી દ્વારા શું કામ કરવામાં આવ્યું ?, આ કૌભાંડનું કામ કરવા માટે આર્થિક વહીવટ કરવામાં આવેલ છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ સીઆઇડી ક્રાઇમ ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીની તપાસમાં મહત્વની કડી તેઓને હાથ લાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેથી આગામી દિવસોમાં આ ચકચારી ગુનામાં કોની ધરપકડ સીઆઇડીની ટિમ દ્વારા કરવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. અને ચોરેને ચોટે તેની ચર્ચા થઈ રહી છે.






Latest News