મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી


SHARE













વાંકાનેર પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી

વાંકાનેર શહેર અને તાલુકામાં ગણેશોત્વના આયોજકો દ્વારા તેમજ ઘર અને સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરતા લોકો સલામત રીતે વિસર્જન કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે. ત્યાં અત્યાર સુધીમાં 165 જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને આ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે પાલિકાના પ્રમુખ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે.

વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ડીમ્પલબેન એચ. સોલંકીમ ઉપપ્રમુખ હર્ષિત ડી. સોમાણી અને ચીફ ઓફિસર ગીરીશકુમાર આર. સરૈયાએ જણાવ્યુ છે કે, જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને ધ્યાને રાખીને વાંકનેર પાલિકા દ્વારા ગણેશ વિર્સજન માટે જડેશ્વર પાછળ મેળાના ગ્રાઉન્ડ પાસે નવોદય વિધાલયની પાસે જગ્યા નકકી કરવામાં આવેલ છે તે મુજબ વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ડી.વાય.એસ.પી.ની સૂચના મુજબ પી.આઈ. સીટી અને ગ્રામ્ય દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં સહયોગ આપીને સલામત રીતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે  ગણેશોત્સવના આયોજકો સહિતના લોકોને અનુરોધ કરવામાં આવેલ છે 




Latest News