મોરબીના લીલાપર રોડે રહેતા યુવાનને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજયું
વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત
SHARE









વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર પાસે આવેલ કંપનીના કવાર્ટરમાં રહેતા યુવાનને જમ્યા બાદ ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં જ યુવાનનું મૃત્યુ નિપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રામોશ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મોહનલાલ હીરાલાલ બનજારા (૪૩) ગઈકાલે જમ્યા બાદ તેને અચાનક ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં જ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલે ડોકટરે તેને મરુત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા નિકુંજભાઈ ભુરાભાઇ ભરવાડ (૪૩)નું કોઈ કારણોસર મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને કેરાળા ગામેથી મૂળાભાઈ રૂપાભાઈ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
