મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત


SHARE









 

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર પાસે આવેલ કંપનીના કવાર્ટરમાં રહેતા યુવાનને જમ્યા બાદ ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને બેભાન અવસ્થામાં જ યુવાનનું મૃત્યુ નિપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રામોશ કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મોહનલાલ હીરાલાલ બનજારા (૪૩) ગઈકાલે જમ્યા બાદ તેને અચાનક ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે બેભાન થઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં જ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે હોસ્પિટલે ડોકટરે તેને મરુત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા નિકુંજભાઈ ભુરાભાઇ ભરવાડ (૪૩)નું કોઈ કારણોસર મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને કેરાળા ગામેથી મૂળાભાઈ રૂપાભાઈ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News