મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ
SHARE









મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પરણિતાએ પતિ સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ
મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટની પરણિતાએ હાલમાં તેના પતિ, સાસુ-સસરા સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓની સામે તેને સંતાન અને કરિયાવર બાબતે મારામારીને ઝઘડો કરતા હોવાની તેમજ મારકૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતા રઝીયાબેન યાસીનભાઈ બાંભણીયાએ હાલમાં તેના પતિ યાસીનભાઈ આમદભાઇ બાંભણીયા, આમદભાઇ ખાનભાઇ બાંભણીયા, મુમતાજબેન આમદભાઇ બાંભણીયા અને અફસાનાબેન આમદભાઇ બાંભણીયા રહે. બધા જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ વાળાની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તમામ આરોપીઓ તેઓને સંતાન બાબતે તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારીને ઝઘડો કરતા હતા અને ગાળો આપીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને હાલમાં મહિલાની ફરિયાદ લઈને પોલીસે આઈપીસી કલમ ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
