મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ


SHARE













મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી  સેનાની માંગ

મોરબી ખાતે રાજપૂત કારણી  સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી ધારદાર રજુકરી હતી કે, મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર જે તે સમયે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું જે હાલમાં નથી તેને ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે મોરબી રાજપૂત કરણી સેનાએ જણાવ્યુ હતું કે, હાલ નગરપાલીકા ટાઉન હોલની ગ્યાં આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ અને મોરબીની જનતાની સુખાકારી લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાશ્રીની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી ટાઉન હોલમાં મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલું રાખવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી નગરપાલિકાએ જઈને પાલિકાના  ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા




Latest News