મોરબીમાં યુવા આર્મી ગ્રુપની ટીમે તાત્કાલિક એ પોઝિટિવ-નેગેટિવ બ્લડની ૧૧ બોટલ એકત્રિત કરી આપી
મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી સેનાની માંગ
SHARE
મોરબીના ટાઉનહોલમાં મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવવા રાજપૂત કરણી સેનાની માંગ
મોરબી ખાતે રાજપૂત કારણી સેના તેમજ મોરબી રાજપૂત સમાજ દ્વારા મોરબી નગર પાલિકા ચિફ ઓફિસરને આવેદન આપી ધારદાર રજુઆત કરી હતી કે, મોરબી ટાઉનહોલના મુખ્ય દ્વાર ઉપર જે તે સમયે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું બોર્ડ હતું જે હાલમાં નથી તેને ફરીથી મુખ્ય પ્રવેશદ્વાર અને ટાઉન હોલની અંદર મહારાજાનું બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે મોરબી રાજપૂત કરણી સેનાએ જણાવ્યુ હતું કે, હાલ નગરપાલીકા ટાઉન હોલની જગ્યાં આવેલી છે તે મોરબી રાજવી પરિવારની હોઈ અને મોરબીની જનતાની સુખાકારી લોક હિતાર્થે રાજવી પરિવારે મહારાજાશ્રીની સમૃતિ સતત પ્રજા વચ્ચે રહે એવા હેતુથી ટાઉન હોલમાં મહારાજા મહેન્દ્રસિંહજીના નામનું બોર્ડ લગાવેલું રાખવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી નગરપાલિકાએ જઈને પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે રાજપૂત કારણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી રાજપૂત સમાજ પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, યશવંતસિંહ ઝાલા તેમજ રાજપૂત કારણી સેના મોરબી જિલ્લા તેમજ શહેરના હોદેદારો સુખુદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, યોગીરાજસિંહ ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મહિરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા