મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા !
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે બહુચરધામ ખાતે ગરબા-મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીના ખાખરાળા ગામે બહુચરધામ ખાતે ગરબા-મહાઆરતી યોજાઇ

મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. ઉલેખનીય છે કે, ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના રોજ ટંકારાના મોટા ખીજડિયા ગામેથી બહુચરાજી માતાનું  સ્થળાંતર કરીને સ્થાપન કર્યું હતું. આ મંદિરમાં શંખલપુર બહુચરાજી મંદિરમાં બિરાજેલા કુળદેવી સાક્ષાત્ દૃશ્યમાન થાય છે. સાથે મેલડી માતા અને શૂરાપુરાદાદાનું સ્થાપન છે. દર માસની શુક્લ અષ્ટમીએ માતાજીના વસ્ત્ર-શૃંગાર બદલાય છે. ધ્વજારોહણ થાય છે. પોષ શુક્લ અષ્ટમીએ પાટોત્સવ યોજાય છે. દર વર્ષે બંને નવરાત્રીમાં કાંજીયા પરિવારના 101 કુટુંબો મળીને માતાજીની મહાઆરતી, મહાપૂજા અને ગરબાનો મહોત્સવ કરે છે. આ કાર્યક્રમમાં સમગ્ર પરિવારના નાનાંમોટાં તમામ ભાઈ-બહેનો ખૂબ જ ભાવ અને ઉત્સાહથી ગરબે રમે છે. મંદિર નવલખી રોડ પર ખાખરાળા ગામમાં બનાવવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે નવયુગ ગ્રુપના સંસ્થાપક પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ બહુચરધામ વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવે છે. 




Latest News